વિસાવદર: વિધાનસભા પેટા ચૂંટણી માટે ફોર્મ ચકાસણીનો દિવસ વિસાવદર ચૂંટણી અધિકારી શ્રી સી. પી. હિરવાણીયા ની અધ્યક્ષતામાં યોજાયો.
ચકાસણી દરમિયાન જણાવ્યું કે કુલ ૩૧ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૨૨ ફોર્મ માન્ય જાહેર કરાયા છે.
ઉમેદવારો દ્વારા એકબીજાના ફોર્મ ઉપર વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને કેટલાક ઉમેદવારો સામે વાંધા અરજી પણ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, કેટલાક ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
હાલ વાંધા અરજીઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને તમામ અરજીદારોને લેખિતમાં સ્પષ્ટીકરણ આપવાનું રહેશે.
ચૂંટણી અધિકારી દ્વારા પુષ્ટિ કરવામાં આવી કે નિયમોનું પાલન અને યોગ્ય તપાસ સાથે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવશે.
રીપોર્ટર: આસીફ કાદરી, વિસાવદર