
વિસાવદર:
જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં દેશનાSeveral નિહાળો યોદ્ધાઓ શહીદ થયા હતા. સમગ્ર દેશ શોકમગ્ન છે અને શહીદોના સ્મરણમાં વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
વિસાવદર શહેરમાં પણ આજે તા. ૨૪/૦૪/૨૦૨૫ના રોજ સાંજે ૦૭:૩૦ વાગ્યે ગણપતિ ઉત્સવ સમિતિના આયોજન હેઠળ રામજી મંદિર ચોક ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરના આગેવાનો, યુવા મિત્રો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહીદોના આત્માને શાંતિ મળે તે માટે તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળ્યું અને દીવા પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ આતંકવાદ સામે એકતા અને રાષ્ટ્રીય અખંડિતતાની શપથ લીધી હતી. વિસાવદરના નાગરિકોનું આ ઉપક્રમ રાષ્ટ્રપ્રેમ અને શહીદોના સન્માનનું ઉત્તમ ઉદાહરણ છે.
અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર