આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું. મતદાતાઓમાં ખાસ કરીને ભેસાણના રાણપુર ગામે જોવા મળ્યો ઉત્સાહ. સવારે જ લોકો મતદાન મથકો પર પહોંચી ગયા હતા અને મતાધિકારનો ઉપયોગ કરી દેશની લોકશાહી મજબૂત કરી.
મુલાકાત દરમિયાન મતદાતાઓએ પણ અવશ્ય મતદાન કરવા માટે અન્ય લોકોને અપીલ કરી હતી. ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નિતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા વચ્ચે રહ્યો.
કુલ 2,60,000 મતદાતાઓમાંથી 1,30,000 લઈપટેલ, 21,000 દલિત અને 20,000 કોળી સમાજના મતદાતાઓ નોંધાયા છે. કુલ 294 મતદાન મથકો પર વહીવટી તંત્ર દ્વારા 1500 અધિકારી-કર્મચારીઓ અને 800થી વધુ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા. ઉપરાંત SRPની 3 અને CAPFની 4 ટીમે પણ વ્યવસ્થાની સુચારુ કામગીરી સુનિશ્ચિત કરી હતી.
અંતે, કુલ 56.89 ટકા મતદાન નોંધાયું છે, જે સ્થાનિક લોકોના જાગૃતતા અને લોકશાહીમાં વિશ્વાસનો સાબિતીરૂપ છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)