વેરાવળ, તા. ૫ જૂન:
વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણ બચાવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે વેરાવળમાં ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટ અને વેરાવળ-પાટણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફૂલછોડના કૂંડા સાથે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું.
નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની ની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન શશાંક પરીખ ના માર્ગદર્શન હેઠળ નાગરિકોને પ્લાસ્ટિકના નુકસાન વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી અને પ્લાસ્ટિકના વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા પર ભાર મુકાયો.
પ્રવૃત્તિ હેઠળ નાગરિકોમાં પર્યાવરણ માટે કાપડની થેલીનો ઉપયોગ વધારીને પ્લાસ્ટિકને ઓછું કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ વિતરણ કાર્યક્રમમાં ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના કૃષ્ણગોપાલ ગનેરીવાલ, જયદેવ જાની, નગરપાલિકા ના ચંદ્રિકાબહેન સિકોતરિયા, દિગંત દવે અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
પર્યાવરણ બચાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી અને પ્લાસ્ટિક મુક્ત સમાજ તરફ એક પગલું વધુ આગળ વધારવું એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ