ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રાયચુરા ગ્રૂપ દ્વારા ભવ્ય રોજગારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. વધતી મોંઘવારી અને બેરોજગારી વચ્ચે યુવાઓને રોજગારીના નવા અવસરો ઉપલબ્ધ કરાવવા માટે આ અનોખી પહેલ કરાઈ.
તાલાલાગીર પંથકની રાયચુરા કંપનીએ આ સેમિનાર દ્વારા માત્ર રોજગારી જ નહીં પરંતુ પર્યાવરણ જાળવણી સાથે ધંધાકીય વિકાસના મોડલને પણ પ્રસ્તુત કર્યું. કંપનીના સ્થાપક મિહિર રાયચુરાએ જણાવ્યું કે તેઓ એવા વ્યવસાયિક મોડલ પર કાર્યરત છે જેમાં ગ્રાહક દ્વારા ખર્ચાયેલ નાણાંનો ભાગ ફરી ગ્રાહકને પરત આપવામાં આવે છે.
સેમિનારમાં હજારોની સંખ્યામાં લોકોને માહિતી આપી, રોજગારીના અવસરો બતાવાયા અને મોટીવેશનલ સ્પીકર્સે પણ હાજરી આપી. રાયચુરા ગ્રૂપ હાલમાં 1000થી વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે અને આ જ ઉદ્દેશ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિસ્તરણ કરી રહ્યું છે.
આ કાર્યક્રમને લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો અને પત્રકારો સહિત સામાન્ય જનમેદની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)