વેરાવળ, 2025 –
“વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી તરીકે ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ પ્રિ-ઈવેન્ટ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ દરમિયાન વેરાવળ એસ.ટી.ડેપો ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત નાટક દ્વારા પ્રવાસીઓ અને એસ.ટી. સ્ટાફને પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો.
બ્રહ્માકુમારીના બહેનો અને ભાઈઓ દ્વારા રજૂ કરાયેલ આ નાટકમાં પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર પડતા બુરા પ્રભાવને રેખાંકિત કરાતાં તમામ સ્ટાફ અને મુસાફરોને આ મુદ્દે જાગૃત કરવામાં આવ્યું. એસ.ટી.બસના કંડક્ટર, ડ્રાઈવર અને વહીવટી સ્ટાફ સાથે મુસાફરો પણ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવાની શપથ માટે આગળ આવ્યા.
વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું કે “વિશ્વ પર્યાવરણ દિવસની થીમ ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ ને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો જરૂરી છે.”
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ