વેરાવળ:
નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થિવ પરમારની ઉપસ્થિતિમાં વેરાવળની સામાજિક સંસ્થાઓ, વેપારી મંડળ અને નગરપાલિકાના સ્ટાફ માટે પર્યાવરણ અંગે એક અવેરનેસ વર્કશોપનું આયોજન નગરપાલિકા હોલમાં કરવામાં આવ્યું.
આ વર્કશોપમાં પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ માટે વિવિધ વિચારધારાઓ રજૂ કરાયા. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગ્લાસ અને બાઉલની જગ્યાએ રિપીટ યુઝ થતી સામગ્રીના ઉપયોગ પર જોર આપવામાં આવ્યો.
અનિશ રાછ્ દ્વારા જણાવાયું કે, વાડી, હોલ, હોટલ અને કેટરર્સ દ્વારા 7થી 15 રૂપિયાનું રિપીટ યુઝ થતું પ્લાસ્ટિક ગ્લાસ અને બાઉલ ગ્લાસ વસાવવામાં આવે તો એક પ્રસંગમાં ઓછામાં ઓછા 2000 પ્લાસ્ટિક કપ અને ગ્લાસનો ઉપયોગ અટકાવી શકાય.
તેમણે સૂચન આપ્યું કે બુકિંગ કરતા સમયે આ પ્રકારની રિપિટ યુઝ થતી વસ્તુઓ જ ઉપયોગમાં લાવવામાં આવશે તેવી શરત અને સૂચના બોર્ડ મૂકવાના હકમાં ટે. આ સાથે તમામ વાડી, હોલ, હોટલ અને કેટરર્સ વાળા આ યોજના માટે સહમત થયા છે.
આ પહેલ દ્વારા પર્યાવરણમાં પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને ફરીથી ઉપયોગ થતી વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ