વેરાવળ:
૩૧મી મે ૨૦૨૫ ના રોજ વેરાવળ બસસ્ટેશન ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન તમાકુ વિરૂદ્ધ જનજાગૃતિ માટે “નો સ્મોકિંગ, નો ટોબેકો યૂઝ” સંદેશાવાહક એર ડાન્સર બલૂન ખૂલ્લું મુકીને લોકોએ સક્રિય ભાગ લીધો. જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા “પેસિવ સ્મોકિંગના નુકસાન,” “ધુમ્રપાન મુક્ત જીવન,” અને “તમાકુનું સેવન છોડો અને વ્યસનમુક્ત, નિરોગી જીવન અપનાવો” જેવા મેસેજ દ્વારા વ્યસન મુક્તિ તરફ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય અને એપિડેમિક મેડીકલ ઓફિસર ડૉ. ગોસ્વામી દ્વારા તમાકુના ઉપયોગથી થતા ગંભીર સ્વાસ્થ્ય નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી જનજાગૃતિ વધારવાનો પ્રયાસ થયો હતો. એન.ટી.સી.પી.ના સોશિયલ વર્કર ડી.જે. વ્યાસ દ્વારા તમાકુ અધિનિયમ (કોટપા-૨૦૦૩) ના કલમો અંગે શપથ કરાવવામાં આવી અને તેમની જરુરિયાત અંગે માહિતી આપી હતી.
જાહેર આરોગ્ય માટે તમાકુ અને નિકોટીનનું જોખમ નોંધાવતાં જણાવ્યું હતું કે, તમાકુ ઉત્પાદનોમાં નવા સ્વાદ અને લાક્ષણિકતાઓ ઉમેરવાનું ઉદ્યોગો સતત યુવાનોને આકર્ષવા માટે પ્રયત્નશીલ છે. આને રોકવા માટે વધુ કડક નિયમો લાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાની આ વર્ષે વિશેષ સાથે જોર મૂકાયો છે.
ઉત્સવમાં ડેપો મેનેજર દિલિપ શામળા, સરકારી હોસ્પિટલના સ્ટાફ, જિલ્લા એપિડેમિક મેલેરિયા સ્ટાફ, વેરાવળ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, જનસેવા ટ્રસ્ટ અને મુસાફરો પણ ભાગીદાર રહ્યા.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ