વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વની ઉજવણી કરાઈ.

વેરાવળ

વેરાવળ માં જાલેશ્વર સાનિધ્ય માં ને અષાઢી બીજ ના પાવન અવસર વર્ષોની પરંપરાગત શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર શ્રી રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ, મહા આરતી, મહાપ્રસાદ કરાવવામાં આવ્યો હતો

ત્યારબાદ શ્રી સકતરાઈ માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે બીજ નાપાર્થની માહા આરતી કરી અને શ્રી સોમનાથ ધુન મંડળ દ્વારા રામદેવજી મહારાજ ના ભજન સાથે મહા પ્રશાદ કરાવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ખારવા સમાજ અધ્યક્ષ જીવાભાઈ ચોમલ, ખારવા સમાજ ના માજી પટેલ ત્રિકમભાઈ આગિયા, ખારવા સમાજ ના મંત્રી નારણ ભાઈ બાડીયા, વેરાવળ હોડી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી, બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઇ કોટીયા, રામેશ્વર એક્સપોર્ટ ના માલિક રામજીભાઈ પીઠડ, ચંદ્રેશ શીલા હાજર રહયા હતા…

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)