મહાનગરપાલિકા જૂનાગઢ હદમાં આવેલ ભવનાથ વિસ્તારમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર કિયોસ્ક પોલ લગાડવામાં આવેલ છે.જે અન્વયે માન.કમિશનર સાહેબ ડો.ઓમ પ્રકાશના આદેશ અન્વયે માન.નાયબ કમિશનર ડી.જે.જાડેજાની સુચના થી આસી.કમિશનર(ટેક્સ) કે.જી. ટોલીયાના માર્ગદર્શન નીચે ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂપાપરાની ટીમ દ્વારા તા.૦૧/૦૩/૨૫ ના રોજ રૂ.૨૦,૦૦૦/- નો દંડ ની વસૂલાત કરવામાં આવેલ અને આ કિયોસ્ક પોલ પોતાના ખર્ચે જ ઉતારી લેવા તેમજ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેવી બાહેધરી પણ લેવામાં આવેલ છે,
વધુમાં જણાવવાનું કે મહાનગરપાલિકા જુનાગઢની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર આવી પ્રવુતિ ન કરવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે .
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ