શહેર ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નું પૂતળાં દહન કરવામાં આવ્યુ.

પશ્ચિમ બંગાળ સરકાર પછાત
વર્ગ ના આરક્ષણ મુદ્દે હાઇકોર્ટે નો આદેશ નહી માનતા ભાવનગર શહેર ભાજપ દ્વારા મમતા બેનર્જી નું પૂતળાં દહન કરવામાં આવ્યું હતુ.

શહેર ભાજપ દ્વારા ઘોઘા ગેઇટ ખાતે મમતા બેનર્જી નું પૂતળું બાળવામાં આવ્યુ હતું , પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણ તેમજ ૨૦૧૦ થી આપવામાં આવેલા પ્રમાણપત્રોને રદ્દ કરવાના કોલકતા હાઇકોર્ટના ઐતિહાસિક નિર્ણયની અવગણના કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવેલ કે

“અમે આ નિર્ણયને સ્વીકારીશું નહિ અને તેનો અમલ કરીશું નહિ”.

તેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નું પાતળું બાળી મમતા સરકાર નો વિરોધ કરવામાં આવ્યો પશ્ચિમ બંગાળની ૭૧ પછાત જાતિઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ૬૫ મુસ્લિમ પછાત જાતિઓ અને ૭ અન્ય જાતિઓ નો સમાવેશ થયો હતો.

 

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી
(ભાવનગર)