શિહોર શહેરમાં છેલ્લા બે દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, છતાં પણ શહેરમાં વીજ પુરવઠો બંધ થવાની નોબત આવી નહોતી. આ માટે શિહોર ટાઉન PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ટીમે આગોતરા મેન્ટેનન્સ કામ કરી રાખ્યું હતું.
PGVCLના ઈજનેર શ્રી ખેર સાહેબના માર્ગદર્શન હેઠળ ટકાઉ આયોજન અને સમયસર જાળવણીના કામો થકી વીજપુરવઠાને સતત અને સ્થિર રાખવામાં સફળતા મળી. ટીમના તમામ કર્મચારીઓએ જમાવટભેર કામગીરી કરી હતી અને શહેરવાસીઓને મુશ્કેલી ન પડે એ માટે ચોંકસ દ્રષ્ટિથી કામગીરી અંજામ આપી.
આ કામગીરીને શિહોરના નાગરિકોમાંથી પ્રસંસા મળી રહી છે અને વીજ વિભાગ દ્વારા આવી કામગીરી સતત રહે એ માટે લોકો તરફથી આશીર્વાદ મળ્યો છે.
અહેવાલ : સતાર મેતર, (શિહોર)