શ્રાવણના ત્રીજા દિવસે શ્રી સોમનાથ મહાદેવને ભસ્મ શૃંગાર.

સોમનાથ

શ્રાવણના ત્રીજા દિવસે શુક્લ ત્રીજની તિથિ પર સોમનાથ મહાદેવને વિશેષ ભસ્મ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવને ભસ્મ દર્શન શ્રૃંગાર એક પ્રાચીન પૂજાવિધિ છે. આ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ ને યજ્ઞભસ્મ થી શણગારવામાં આવે છે.

શાસ્ત્રોમાં ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનું પ્રતિક કહેવામાં આવેલ છે. માનવામાં આવે છે કે આ ભસ્મથી લેપ કરેલ શિવલિંગના દર્શનથી મનુષ્ય મોહમાયાના દંભ માંથી મુક્ત થઈ શિવત્વ ની અનુભૂતિ કરે છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)‌