શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ જૂનાગઢ દ્વારા સેવા કાર્ય.

જૂનાગઢ

જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ શ્રી નાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ વાડી ના મુખ્ય દાતા સ્વ.શ્રી કરુણાશંકર આણંદજી ઓઝા તથા સ્વ.શ્રી લાલજી દામજી ઉપાધ્યાયની પુણ્યતિથિ પ્રસંગે જ્ઞાતિના જરૂરિયાતવાળા લોકોને યથાયોગ્ય સહાય સંસ્થા તરફથી જ્ઞાતિની વાડી ખાતે આપવામાં આવેલ ત્યારે સ્વ. શ્રી લાલજી દામજી ઉપાધ્યાય વતી શ્રી હરીશભાઈ વસંતરાય ઓઝા તથા સ્વ.શ્રી કરુણાશંકર આણંદજી ઓઝા વતી શ્રી નરેશભાઈ ઓઝા ના વરદહસ્તે સહાય વિતરણ કરવામાં આવેલ હતી, આ તકે સંસ્થાના મંત્રીશ્રી હિતેશ એમ. મહેતા, ધર્મેશભાઈ દવે , નલીનભાઇ શ્રોત્રીય,જીતેન્દ્રભાઈ મહેતા ,વગેરે હાજર રહ્યા હતાં, કાર્યક્રમનું સંચાલન શ્રી હિતેશ એમ.મહેતા એ કરેલ હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)