શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ,જૂનાગઢ ના નવ નિયુક્ત ટ્રસ્ટીઓની વરણી.

જૂનાગઢ

શ્રી નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, ગાંધીગ્રામ,જૂનાગઢ ના ટ્રસ્ટીઓની મુદત તા. ૩૦-૯-૨૪ ના રોજ પુરી થતી હોવાથી નવા ટ્રસ્ટીઓની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવેલ અને તેનું સંચાલન કરવા માટે બે ચૂંટણી અધિકારીઓશ્રીની નિયુકિત કરવામાં આવેલ તેની સૂચના મુજબ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ, સુધારેલ મતદાર યાદી તા. ૧-૦૯-૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામા આવેલ, કુલ- ૧૩ (તેર)ટ્રસ્ટીઓની જગ્યા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ઘરતાં ઉમેદવારી પત્રો ભરવા માટેની નિયત મુદતમાં કુલ ૧૭(સતર) ઉમેદવારી પત્રો રજુ થયેલ તેની ચકાસણી કરતાં તમામ ઉમેદવારી પત્ર માન્ય થયેલ પરંતુ નિયત સમય મર્યાદામાં તે પૈકીના (૪) ચાર વ્યક્તિઓએ ઉમેદવારી પરત ખેંચતા ફાઈનલ તેર ઉમેદવારો ને તા. ૦૧-૧૦-૨૦૨૪ થી તા. ૩૦-૦૯-૨૦૨૭ ની મુદત માટે ટ્રસ્ટી તરીકે બીન હરીફ ચૂંટાયેલ જાહેર કરવામાં આવેલ છે

જેમાં સર્વશ્રી મહેતા જીતેન્દ્ર મનસુખલાલ, શ્રોત્રિય નલીન કાંતીલાલ, મહેતા હિતેન્દ્રકુમાર મોહનલાલ, મહેતા હિતેન્દ્રભાઈ કેશવલાલ, દવે મનિષાબેન કાંતિલાલ, દવે જીગ્નેશ મહેન્દકુમાર, દવે ધર્મેશભાઈ મહેન્દ્રભાઈ, મહેતા પ્રફુલચંદ્ર હરીલાલ, ઉપાધ્યાય વિજયભાઈ મનસુખભાઈ, ઓઝા યોગેશ દોલતરાય, ઓઝા ઉમેશકુમાર દયાશંકર, મહેતા હાર્દિક જગદીશચંદ, મહેતા જીતેષ કાંતિલાલ નો સમાવેશ થાય છે. આમ આ નવ નિયુક્ત ટ્રસ્ટી મંડળ જ્ઞાતિ ઉત્થાન, સમાજ ઉત્કર્ષના, અને સંસ્કાર કેન્દ્ર વાડી ના વિકાસ કાર્યો હાથ ધરશે તેમ સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)