શ્રી ભારતીબાપુ વિદ્યાધામ,ભારતી આશ્રમ, ભવનાથ, જુનાગઢ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

જૂનાગઢમાં ભવનાથ વિસ્તારમાં ગરવા ગિરનારની ગોદમાં શ્રી ભારતી આશ્રમ મધ્યે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે ભગવાન શિવની પૂજાની સાથે સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં આવ્યું. ભારતના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના अभियान “एक पेड़ मां के નામ “અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ શ્રી ભારતી બાપુ વિદ્યાધામ, ભવનાથ, જુનાગઢમા યોજાયેલ તેમાં પૂજ્ય મહાદેવ ભારતી બાપુ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને દરેક વિદ્યાર્થીઓને એક બીલીવૃક્ષ નો છોડ આપવામાં આવેલ સાથે સંકલ્પ લેવડાવ્યો કે અમે આ વૃક્ષ વાવીશું અને ઉછેરીશુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)