શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર માલનપાડા, ધરમપુર ખાતે ભવ્ય કળશ સ્થાપન કાર્યક્રમનું આયોજન

ધરમપુર:

શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર માલનપાડા નાસિક રોડ ધરમપુર ખાતે વિક્રમ સવંત 2081ના જેઠ સુદ 6, રવિવાર, 1-6-2025ના શુભ દિવસે ભવ્ય કળશ સ્થાપન કાર્યક્રમ યોજાયો. કળશ સ્થાપન સાથે ગણેશ પૂજા, શિખર સ્થપન, આરતી અને પૂજા પાઠનો ઉત્સાહભર્યો કાર્યક્રમ હાથ ધરાયો હતો.

આ પ્રસંગે ધરમપુર નગર અને આસપાસના વિસ્તારોના અનેક ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને હનુમાનદાદાના દર્શનથી મહાન ધન્યતા અનુભવી.

કળશ સ્થાપના કાર્યક્રમમાં ધારા સભ્ય અરવિંદભાઈ પટેલ, ગિરીશભાઈ સોલંકી, દેવાંગભાઈ કંસારા, કનનભાઈ કાપડિયા, સંપતભાઈ શર્મા, નિરવભાઈ મેરાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન તમામ ભાવિકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી શિવ કથા મહોત્સવ સમિતિ ધરમપુર દ્વારા જરૂરી સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.