શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા વાઘેશ્વરી મંદિરે ગરબાનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ

શ્રી સંહિતા મહિલા મંડળ, જૂનાગઢ દ્વારા શ્રી વાઘેશ્વરી માતાજીના પટાંગણ માં સર્વ જ્ઞાતિય બહેનો માટે ઓપન જુનાગઢ ગરબા રાખેલ તેમજ માતાજીના ચરણોમાં 51 કમળ પુષ્પો બહેનો દ્વારા ચઢાવી માતાજીની આરાધના કરેલ, માં વાઘેશ્વરી ને 5 સાડી રૂપી ચુંદડી પણ ઓઢાડવામાં આવેલ,સંસ્થાપકશ્રી વીણાબેન પંડ્યા ની યાદમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સાથે જુનાગઢમાંના મહિલા મંડળ ચલાવતા મહિલા મંડળના પ્રમુખોના સન્માનમા મંદિરના પૂજારીશ્રી ઉપાધ્યાયજી એ માતાજીની પ્રસાદીની ચુંદડી આપી દરેક ને આશીર્વાદ આપેલ હતાં.

આ કાર્યક્રમ વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટી મંડળ ને આભારી .હતો, કાર્યક્રમને સફળ બનાવવા સંહિતા મહિલા મંડળના ચેરમેનશ્રી ચેતનાબેન પંડ્યા, ચંદ્રિકાબેન મહેતા, આરતીબેન જોષી વિગેરે સમગ્ર કારોબારી ટીમ એ જહેમત ઉઠાવેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)