કલેક્ટર એન.વી. ઉપાધ્યાય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ગીર સોમનાથ જિલ્લામાં પ્લાસ્ટીકના પ્રદૂષણને રોકવા માટે વિવિધ પ્રયાસો અને જનજાગૃતિ વધારવા માટે પગલાં લેવાતા જોવા મળે છે. એ જ પ્રવૃત્તિની શ્રેણીમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્લાસ્ટીક નાબૂદી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં સ્વચ્છ ભારત મિશનની બ્રાન્ડ એમ્બેસેડર ડો. તેજસ દોશી દ્વારા પ્લાસ્ટીક પ્રદૂષણ, રિડ્યૂસ, રિયૂઝ અને રિસાયકલ કરવાના મહત્વ તથા જૈવિવિવિધતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેને પ્લાસ્ટીક થેલી બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાગરિકોને ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત પર્યાવરણ છોડવાની જાગૃતિ આપી હતી. સાથે જ ઉપસ્થિત લોકો પ્લાસ્ટીકના ઉપયોગને ટાળવા અને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
સેમિનારમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબહેન સિકોતરિયા, સેનિટેશન ચેરમેન રાજુભાઈ ગઢિયા, ચીફ ઓફિસર પાર્થીવ પરમાર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અને સામાજીક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ