“શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પીએચ.ડી. સંશોધકો માટે છ-માસિક પ્રગતિ સમીક્ષા બેઠક યોજાઈ”

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા 26 જૂન, 2025ના રોજ પીએચ.ડી. સંશોધકો માટે છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન યુનિવર્સિટી પરિસરમાં કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં વ્યાકરણ વિષયના પીએચ.ડી. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સંશોધનયાત્રા અંગેના પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યા હતા.

આ અવસરે યુનિવર્સિટીના પ્રભારી શોધનિર્દેશક અને માર્ગદર્શક તરીકે ડૉ. પંકજકુમાર રાવલ, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા, વ્યાકરણ સંકાયના અધ્યક્ષ તથા “દર્શનમ્” સંસ્કૃત મહાવિદ્યાલય, છારોડીના પ્રધાનાચાર્ય અર્જુન સામલ, યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના OSD રવીન્દ્ર કાલે અને સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હાજર રહ્યા હતા.

બેઠકના સંયોજક તરીકે સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યાએ સફળ કામગીરી આપી હતી. સંકલનકર્તા તરીકે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદી સક્રિય રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન યુનિવર્સિટીના JRF શોધછાત્ર ઋત્વિક જાની દ્વારા કરાયું હતું.

શોધકાર્યની ગુણવત્તા, માર્ગદર્શન અને સમયસીમાની આથડતાની સમીક્ષા સાથે સંશોધનને વધુ દિશાયુક્ત બનાવવાનો હેતુ ધરાવતી આ બેઠક સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનું ઉત્તમ દ્રષ્ટાંત બની.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.