સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે “બાળ માનસ – સ્વસ્થ મન, ઉજવળ ભવિષ્ય” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ભાવનગર સર્ટી હોસ્પિટલના જાણીતા મનોચિકિત્સક અને સાઇકિયાટ્રિક ડો. માનસંગભાઈ ડોડીયા મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા અને શાળાનાં વિદ્યાર્થીઓને જીવન જીવવામાં ઉપયોગી મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.
🧠 કાર્યક્રમની વિશેષતાઓ:
શાળામાં વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થ અને સલામતી પર ભાર મુકવામાં આવ્યો.
જીલ્લા કલેક્ટરશ્રીની સૂચનાઓ મુજબ શાળાના કડક નિયમો અમલમાં મુકાયા છે, જેમ કે:
વર્ગખંડમાં પ્રવેશ પહેલા બેગ ચકાસણી.
મોબાઇલ, સ્ટીલની સ્કેલ, કટર અને અન્ય તીખા સાધનો લાવવાનું મનાઈ.
ગેરપ્રવૃત્તિ કરનાર વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ દ્વારા નોટિસ.
વિદ્યાર્થીઓને મનના પ્રશ્નો શિક્ષક અથવા માતા-પિતા સાથે ખુલ્લા મનથી વાત કરવાનું પ્રોત્સાહન.
ડિપ્રેશન, તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારો નિવારવા માટે માર્ગદર્શન.
ગૂડ ટચ અને બેડ ટચ અંગે જાગૃતિ.
ટેલી માનસ હેલ્પલાઈન (14416) વિશે માહિતી.
👥 ઉપસ્થિત મહેમાન:
ડો. વિજય કામળીયા, ડો. પুজાબા ગોહિલ, શ્રી દિપકભાઈ નાથાણી
અર્બન હેલ્થ ટીમ – શિહોર
શાળાના સંચાલક/ટ્રસ્ટી પી.કે. મોરડીયા સાહેબ
શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ સહયોગ
🎯 હેતુ
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં માનસિક અવરોધને દૂર કરવા, સહકાર અને સમજણ દ્વારા માનસિક સ્વસ્થતા જાળવવા, અને તેમના ભાવિ માટે ઉજવળ મન ઊભું કરવું.
📌 અહેવાલ : સતાર મેતર, સિહોર