સતાધાર ના બ્રહ્મલીન મહંતશ્રી શામજીબાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા નો 31મો પાટોત્સવ સોનાપુરી, ગિરનાર રોડ જૂનાગઢ ખાતે ઉજવાયો

જૂનાગઢ
. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, જુનાગઢ દ્વારા જગ પ્રસિદ્ધ સતાધાર ધામ ના મહંતશ્રી કે જેમને મહાકુંભના મેળામાં લાખો ભક્તોની ઉપસ્થિતિ માં સંત સંમેલનમાં સર્વે જગતગુરુ શંકરાચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં ભક્તભૂષણ નુ બિરુદ આપી સન્માનિત કરવામાં આવેલ એવા બ્રહ્મલીન શ્રી શામજીબાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા સોનાપુરી, ગીરનાર રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ છે તેના 31માં પાટોત્સવ તાજેતરમાં ઉજવવામાં આવ્યો, જેમાં સવારે 8:00 કલાકે પૂજ્ય શામજીબાપુ ની મૂર્તિને અભિષેક કરવામાં આવેલ અને ફૂલહાર કરી સાલ ઓઢાડેલ ત્યારબાદ શાસ્ત્રીજી દ્વારા પૂજન વિધિ કરવામાં આવેલ

વિશેષમાં બપોરે ચાર કલાકે સ્મશાનમાં સત્યનારાયણની કથા શામજી બાપુના સાનિધ્યમાં કરવામાં આવેલ અને છેલ્લે મહાઆરતી કરવામાં આવેલ જેનો લાભ વિશાળ સંખ્યામાં પધારેલા ધર્મ પ્રેમી ભાઈ બહેનોએ લઈ ધન્યતા અનુભવેલ

આ કાર્યક્રમ દરમિયાન સવારથી જ ચા અને શરબત વ્યવસ્થા કરવામાં આવેલ હતી, કાર્યક્રમને અંતે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તેમજ મહાપ્રસાદ નો લાભ દરેક ભક્તજનોએ લીધેલ હતો

આ ધર્મ ઉત્સવનો કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના સેવકો દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવેલ હતી એવી યાદી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જુનાગઢ ના પ્રમુખશ્રી વિવેકભાઈ ધીરુભાઈ ગોહિલ એક યાદી જણાવાયુ હતું

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)