સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સર્વ જ્ઞાતિય સરસ્વતી સન્માન સમારોહ 2024 યોજાશે.

જૂનાગઢ

જૂનાગઢની સેવાભાવિ સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ દ્વારા જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર જુનાગઢ શહેર તથા પરા વિસ્તારમાં અભ્યાસ કરતા તેજસ્વી યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે સર્વ જ્ઞાતિ ના તમામ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો નું સરસ્વતી સન્માન કરવાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ધો. 8- 9 -11ના વિદ્યાર્થીઓ માટે 75% થી વધુ માર્કસ તેમજ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે 70 થી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા તથા તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર તથા સન્માન પત્ર તથા આશ્વાસન ઇનામો આપવામાં આવશે
બાકીના તમામ વિદ્યાર્થીઓને સન્માન રૂપે સન્માન પત્ર આપવામાં આવશે
‌.

આ માટે ના અરજી ફોર્મ નીચે જણાવેલ સ્થળેથી મળી શકશે.(૧) કિશોરભાઈ ચોટલીયા, અશ્વિન કાપડની દુકાન, પંચહાટડી ચોક‌, જુનાગઢ મો્. 9426995495 (૨) અંધ કન્યા છાત્રાલય, અલખ નંદા એપાર્ટમેન્ટ ની બાજુમાં‌, સેજની ટાંકી પાસે,જવાહર રોડ, જુનાગઢ મો.992514288 મો.942843898

ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 20-07-2024 રહેશે તેમ શ્રી મનસુખભાઈ એમ વાજા મો. 9925142088 એ જણાવેલ છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)