સાળંગપુર ધામ ખાતે પવિત્ર એકાદશી નિમિતે “કિંગ ઓફ સાળંગપુર” પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર “કિંગ ઓફ સાળંગપુર” ખાતે પવિત્ર એકાદશી, તા. ૬ જુલાઈ ૨૦૨૫ રવિવારના રોજ વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે **પુજારી સ્વામી (અથાણાવાળા)**ના આશીર્વાદ સાથે અને યુવા મંચ ખાંભડા, ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, મિશન ગ્રીન બોટાદ, તથા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ જેવા સંગઠનોના સહયોગથી હરિયાળી અભિયાનને આગળ ધપાવાયું.

🌳 વટવૃક્ષ, પિપળો અને ઉમરાં જેવા ઓક્સિજન આપતા મહત્વપૂર્ણ વૃક્ષોનું વાવેતર સાળંગપુર મંદિરના પરિસરમાં કરાયું હતું.

📢 કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ પ્રેમી યુવાનો દ્વારા “એક પેડ – મા કે નામ” અભિયાનને સમર્પિત સંદેશ આપતો સાહિત્ય વિતરણ કરવામાં આવ્યો અને “ગ્રીન સાળંગપુર – ક્લીન સાળંગપુર” ની સકારાત્મક જાગૃતિ ઉભી કરવાની અપીલ પણ કરવામાં આવી.

આ કાર્યક્રમનો હેતુ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનું ઉછેર અને જતન વિશે પણ સતર્કતા અને જવાબદારીનો સંદેશ આપવા રાખવામાં આવ્યો હતો.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ