સાસણમાં સિંહ વસ્તી ગણતરીનું રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે નિરીક્ષણ કર્યું.

જૂનાગઢ:

ગુજરાત રાજ્યના વન, પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે સાસણ ગીરની મુલાકાત લઈને હાલમાં ચાલી રહેલી ૧૬મી સિંહ વસ્તી અંદાજ ગણતરીના કાર્યનો અવલોકન તથા નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ વસ્તી ગણતરીમાં તત્પર વન અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને જંગલમાં કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે સાસણ ગીર ખાતે આવેલી સિંહ હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં આપવામાં આવતી સારવારની વિગતો અધિકારીઓ પાસેથી જાણવી હતી.

ઉલ્લેખનીય છે કે આ ગણતરી તા. ૧૦ મે થી શરૂ થઈને તા. ૧૩ મે સુધી યોજાનાર છે. જેમાં રાજ્યના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના લગભગ ૩૫,૦૦૦ કિલોમીટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. આ ગણતરી “ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ”થી કરવામાં આવી રહી છે. છેલ્લી ગણતરીમાં વર્ષ ૨૦૨૦ દરમિયાન ૬૭૪ સિંહોની વસ્તી નોંધાઈ હતી.

આવક પદ્ધતિસર માટે સમગ્ર વિસ્તારમાં રિજન, ઝોન અને સબ ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, એનજીઓ તેમજ પ્રથમ વખત ૬૦૦ જેટલા સ્થાનિક સરપંચો અને સક્રિય નાગરિકો સહિત કુલ ૩૨૫૪ જેટલા સ્વયંસેવકો જોડાયા છે.

મંત્રીની મુલાકાત દરમિયાન વન વિભાગના સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્ય વન સંરક્ષક જયપાલસિંહ, વન અધિકારી એ.પી.સિંહ, રામરત્ન નાલા તથા સાસણગીર ના નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ