સુરતના પાંડેસરામાં ડાઈંગ મિલમાં મશીન પર કામ કરતાં સગીરને કરંટ લાગતા મોત.

સુરત :

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી ડાઈંગ મિલમાં કામ કરતાં એક સગીરને કરંટ લાગ્યો હતો. કરંટ એટલો પ્રચંડ હતો કે, ઘટના સ્થળે જ સગીરનું મોત નીપજ્યું હતું. સગીરના મોતને લઈને પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો હતો. જેથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જો કે, સગીરોને કામ પર રાખવામા આવતાં હોવાનું પણ ઉજાગર થયું છે.

બે દિવસ અગાઉ સગીર કામ પર લાગેલો

પાંડેસરા વિસ્તારમાં આવેલી મીરા ડાઈંગ મીલમાં બલરાજ ગંગારામ યાવદ નામનો 16 વર્ષનો સગીર બે દિવસ પહેલાં જ કામ પર લાગ્યો હતો. ડાઈંગમીલમાં આવેલા નવ નંબરના મશીન ઉપર બોર્ડ ઘસવાનું કામ કરતો હતો. આ દરમિયાન અચાનક કરંટ લાગ્યો હતો.ઈલેક્ટ્રિક કરંટ લાગતાં ગણેશનગરના રહેવાસી એવા બલરાજનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી નાની બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો હતો.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)