સુરતના રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ નીકળ્યું, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા.

સુરત :

સુરત પોલીસ દરેક નાગરિકની સુરક્ષા માટે સજ્જ અને સક્ષમ છે.રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ કાઢવા મંજૂરી આપી અનોખો દાખલો બેસાડ્યો સૈયદપુરાની ઘટના પછી મુસ્લિમ સમાજમાં ઊભા થયેલા અવિશ્વાસના માહોલને ભાંગવા,સુરત પોલીસ સુરતના કોઈપણ શેહરીજન ને સુરક્ષા બંદોબસ્ત આપવા સક્ષમ છે, એવો સ્પષ્ટ મેસેજ આપવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સવારે 11 વાગ્યે ઈદે મિલાદનું જુલૂસ રાજમાર્ગ પરથી કોઈ સંસ્થાઓ કાઢવા માંગતી હોય તો છૂટ આપી હતી.

પોલીસે મંજૂરી આપતા 11 વાગ્યા બાદ રાજમાર્ગ પર ઈદે મિલાદનું જુલૂસ નીકળ્યું હતું. ઝાંપા બજારથી નીકળેલું જુલૂસ બપોરે 3 કલાકે ખ્વાજા દાના સાહેબની દરગાહ ખાતે પૂર્ણ થશે. પોલીસ કમિશનર ગેહલોત એ રાજમાર્ગ થી જે સંસ્થાઓ જુલૂસ કાઢવા માંગતો હોય એ દરેક મંડળો ને પોલીસે પરમીટ આપી હતી. ઈદે મિલાદ નું જુલૂસ આ વર્ષે મોટાભાગે શેરી, મોહલ્લામાં નીકળી રહ્યું છે. જેને લીધે રાજમાર્ગ પર લાખો લોકો જોડાયા ન હતા. 20,000 જેટલા લોકો ઝાંપા બજારથી રાજમાર્ગ ખ્વાજા દાના દરગાહ સુધી જુલુસમાં જોડાયા હતા.

પોલીસે સંવેદનશીલ વિસ્તારના માર્ગો, ગલીઓ અને રૂટના મકાનોના ટેરેસ પર પણ બંદોબસ્ત ગોઠવી સવારે 11 થી બપોરે 1.30 સુધી ડ્રોન કેમેરા થી નિગરાની રાખી હતી. સુરત પોલીસે ઈદે મિલાદના આ જુલુસને ગણપતિ વિસર્જનનાં ટ્રાયલ – માર્ચ તરીકે લખાવ્યું હતું. જેમાં પોલીસની વ્યૂહરચના સફળ થતી જણાઈ છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)