સુરતના વરાછા વિસ્તારમાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી થઈ હતી, પરંતુ તે બાદ માર્ગોનું પૂરું પુનર્નિર્માણ કરવામાં ન આવતાં હવે ત્યાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અંદાજે બરોડા નજીકના વિસ્તારમાં, રસ્તા પર ડાંબર અને લીવલિંગનો યોગ્ય કામ ન થતા માર્ગ ઘણી જગ્યાએ બેસી ગયો છે. તાજેતરમાં જ એક ટ્રકનું ટાયર રસ્તાની બેસી ગયેલી જગ્યા પર ધસી પડ્યું અને ટ્રક ફસાઈ ગયો.
આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને મુસાફરો સહિત આસપાસના લોકો અનેક કલાકો સુધી હાલાકીમાં મૂકાયા હતા. આ રોડનો ઉપયોગ દૈનિક હજારો વાહનચાલકો કરે છે, જેમાં સ્કૂટી, ટૂ-વ્હીલર, ટેમ્પો અને ટ્રક સંખ્યા પણ ઉલ્લેખનીય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલો બનાવ નથી. અગાઉ પણ ટેમ્પો ટ્રાવેલર રસ્તો બેસી જતા એ જ જગ્યાએ ફસાઈ ગયો હતો. છતાં પણ પાલિકા તરફથી માર્ગ મરામતના તાત્કાલિક પગલા લેવામાં આવ્યા નહોતા.
સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો આઘાતમાં છે અને પાલિકા સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે. તેઓનો આરોપ છે કે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્રારા લાપરવાઈભરી કામગીરી થતી હોવાને કારણે આમ જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવે સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે, મામલતદાર કચેરી તેમજ મહાનગરપાલિકા તાત્કાલિક માર્ગની યોગ્ય સમીક્ષા કરીને મજબૂત માર્ગ વ્યવસ્થા ઉભી કરે, જેથી વરસાદ પહેલા વધુ દુર્ઘટનાઓ ન સર્જાય.