સુરતના સચિન વિસ્તારમાં બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરાઈ 

સુરતના સચિન વિસ્તારમાં બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

સુરત :

સુરત શહેર સહીત સમગ્ર દેશમાં આજે ભગવાન પરશુરામ ભગવાનની જન્મજયંતિની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. સુરત શહેરના સચિન વિસ્તારમાં બ્રાહ્મણ સમાજના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઇ આરતી ભજન કરવામાં આવ્યો હતો અને ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમમાં ભાજપ વોર્ડ નંબર 30 ના પ્રમુખ દિપક ચૌધરી, યુવા કાર્યકર્તા અક્ષય પાંડે દ્વારા કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સુરત શહેરમાં રહેતા બ્રાહ્મણ સમાજના આગેવાનો સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા

 

સુરત ભગવાન પરશુરામની જન્મજયંતિનીશહેરમાં વિવિધ બ્રાહ્મણ સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી

 

સુરત શહેરમાં વિવિધ હિન્દૂ અને બ્રાહ્મણ સંઘઠનો દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિની ઉજવણી કરી હતી.જેમાં વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ભજન સંધ્યા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયો હતો.

 

 

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)