સુરતના હજીરામાં 6 વર્ષની બાળકીનો અપહરણ બાદ મૃતદેહ મળ્યો, દુષ્કર્મ સાથે હત્યાની આશંકા

Oplus_131072

સુરત

સુરત શહેરના ઔધોગિક છેત્ર હજીરામાંથી છ વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ફરી એકવાર માસુમો સલામત ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

છ દિવસ પહેલા અપહરણ થયુ હતુ

છ દિવસ અગાઉ છ વર્ષ બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ-અલગ ટીમો કામે લાગી ગઈ હતી. જો કે આજે હજીરા ગામના ઝાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે કહ્યું કે, બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માસુમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ? તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ઘટના સ્થળે એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)