સુરતની અડાજણ પોલીસે માથાભારે અસામાજિકતત્વોનું સરઘસ કાઢ્યું.

સુરત :

સુરત શહેરમાં માથાભારે અસામાજિક તત્ત્વોનો આતંક વધી ગયો છે. શહેરમાં દર બીજા દિવસે હત્યા, મારામારીની ઘટનાઓ બની રહી છે. પોલીસનો ધાક જ નહીં હોય તેમ ટપોરીઓ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યાં છે ત્યારે લુખ્ખાં તત્ત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયાસ સુરત પોલીસે શરૂ કરી દીધા છે.

અંગત અદાવતમાં યુવાન પર ચપ્પુથી હુમલો કરનારાઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો

સુરતમાં માથાભારે તત્વોના રૌફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તિક્ષણ અત્યારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)