સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાડીપૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

સુરત:
સુરત શહેરમાં છેલ્લા 30 કલાકમાં પડેલા 16 ઇંચ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાલતનો તાત્કાલિક જુસ્સા સાથે લઈ મોજણ માટે ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગર અને ખાડીપૂર વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં મંત્રીશ્રીએ સ્થાનિક રહીશો સાથે પણ સંવાદ સાધ્યો અને તેમની સમસ્યાઓને ગંભીરતાપૂર્વક સાંભળી હતી.

રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળ પર અધિકારીઓને માર્ગદર્શન આપીને રાહત કામગીરી ઝડપી કરવાની સૂચના આપી હતી. તેમણે પાણીના નિકાલ, આરોગ્યની તકેદારી તેમજ મચ્છરજન્ય રોગચાળાના નિવારણ માટે તાત્કાલિક પગલાં લેવા પણ સૂચના આપી હતી.

સુરત મનપા દ્વારા સતત દવાના છંટકાવ સહિતની સફાઈ કામગીરી હાથ ધરાઈ રહી છે. મનપાના કર્મચારીઓ પાણી ભરાયેલા વિસ્તારોમાં દવાનો મોવિંગ અને રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે સ્થાનિક લોકોની દરેક સમસ્યાઓને ત્વરિત હલ કરાશે અને પૂર અસરગ્રસ્તોને સંપૂર્ણ સહાય આપવામાં આવશે.

અહેવાલ :-બ્યુરો રિપોર્ટ