સુરતમાં અગ્રહરી વૈશ્ય સમાજ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં કાવડ યાત્રા કાઢવામાં આવી.

સુરત :

હાલ હિન્દૂ ધર્મનું પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં હિન્દૂ સમાજ દ્વારા ભગવાન શિવજીના શિવાલયોમાં કાવડયાત્રા કાઢી શિવજીનું અભિષેક કરે છે. ત્યારે સુરત શહેરમાં આવેલા વેસુ સમાજ ગ્રુપ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના અઠવાલાયન્સ વિસ્તારમાં આવેલી તાપી નદી કિનારે આવેલા નાવડી ઓવારા ખાતે તાપી નદીમાંથી નદીનું જળ લઇ ઈછાનાથ મહાદેવ મંદિર ખાતે જળ અર્પણ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને ખુબ ઉત્સાહથી કાવડયાત્રામાં જોડાયા હતા.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)