સોમનાથમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તો શિવ તત્વમાં લીન.

સોમનાથ

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણો માં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા.

ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવ ની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસર માં પાલખી યાત્રામાં એક પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)