સોમનાથ કેટરિંગ એસોસિયેશનના પ્રમુખ પદે ત્રીજી વખત સોમનાથના મિલનભાઈ જોષીની વરણી

ગીર સોમનાથ
સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં સોમનાથ ખાતે સાગર દર્શન ઓડીટોરીયમ હોલ ખાતે સોમનાથ કેટરિંગ એસોસિયેશન દ્વારા સામાન્ય સભા નુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સતત ત્રીજી ટર્મ માટે સોમનાથ પ્રભાસપાટણ ના બ્રહ્મ સમાજના સેવાભાવી મિલનભાઈ જોષી ની સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ છે.જેમા ઉપ પ્રમુખ પદે કેશોદ ના વિનોદભાઈ પંડ્યા, મહામંત્રી પદે યાત્રાધામ પ્રાચી ના શાન્તુભાઈ બદિયાણી, ખજાનચી પદે વેરાવળ ના વિજયભાઈ ટાંક,સંગઠન મંત્રી પદે તાલાલા ના મેહુલ ભાઈ સુદ્રા સહિત ના હોદેદારોની સર્વ સંમતિથી વરણી કરવામાં આવેલ અને. આ કાર્યક્રમ માં નવનીત ભાઇ ઉપાધ્યાય, રાજુ ભાઇ જોષી,સહિત તમામ કેટરસ મીત્રો હાજર રહેલ તમામ લોકો ભોજન કરી મીટીંગ પુર્ણ કરી હતી.

Advertisement

અહેવાલ -દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)

Advertisement