સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન વિધિ પુર્ણ વિદાય સાથે યોજાઈ

સોમનાથ:
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ સ્વ. વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન વિધિ આજે સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમમાં solemn રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી.

વિજયભાઈ રૂપાણીના અસ્થિ કળશ સાથે પરિવારજનો ત્રિવેણી સંગમ ખાતે પહોંચી પહોંચ્યા હતા. અહીં શારદા મઠ યજ્ઞશાળા ખાતે પંડિત વિક્રાંત પાઠકના માર્ગદર્શન હેઠળ અસ્થિ પૂજન વિધિ યોજાઈ હતી. વિધાન પ્રમાણે પૂજન પૂર્ણ થયા બાદ ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ અવસરે રાજકોટના નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ઉદયભાઈ શાહ સહિત પરિવારજનો અને સગાંસંબંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિજયભાઈ રૂપાણીના આત્મા માટે શાંતિની પ્રાર્થના કરી હતી.

પછી સોમનાથ ઘાટે સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોકમંત્રોચ્ચાર યોજાયો હતો. સોમનાથ મંદિરમાં પરિવારજનો દ્વારા વિજયભાઈ રૂપાણીના આત્માની શાંતિ માટે વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું.

આ શોકમય પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, આગેવાન રાજશીભાઈ જોટવા અને જયદેવ જાની સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ મુખ્યમંત્રીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ