સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વ: ગંગાજલથી શિવજીનું વિધિવત અભિષેક અને મહાઆરતીનું ભક્તિમય આયોજન

સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આજે ગંગાદશેરા પર્વના અવસરે વિશેષ ભક્તિમય કાર્યક્રમો યોજાશે. આ પવિત્ર દિવસે ગંગા માતાનું પૃથ્વી પર અવતરણ શાસ્ત્રોમાં નોંધાયેલું છે અને આ પર્વને લઈને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ પૂજા-અરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે ત્રિવેણી સંગમ પર ભગવાન શિવજીની વિધિવત પૂજા-અભિષેક કરવામાં આવશે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજલથી અભિષેક કરાશે, જેના દર્શન અને ભાગ્યલાભ માટે ભક્તો ઉમટી રહયા છે.

ત્રિવેણી માતાની મહાઆરતી પણ ભવ્ય રીતે કરવામાં આવશે, જેમાં તમામ ભક્તો જળસ્થાપત્યની સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા લેશે. આ પ્રતિજ્ઞા અંતર્ગત કોઈપણ પ્રકારનો કચરો ન નાંખવાની, નદીઓ અને સમુદ્રની સફાઈ અને સંરક્ષણ માટે શ્રદ્ધાળુઓ સંકલ્પ બાંધી રહ્યા છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલ વાપરવાનું ટાળવું અને પોતાની દીપ-થાળી સાથે લઈ આવવી. આ રીતે પર્યાવરણનું રક્ષણ અને પવિત્રતાનું જાળવણી શક્ય બની રહે.

મહાઆરતી પછી તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ પવિત્ર તહેવાર માટે સોમનાથ ટ્રસ્ટ તરફથી તમામ ભક્તો અને લોકોથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વિહંગમ દ્રશ્ય સાથે, ગંગાદશેરા પર્વ પર ભક્તિમય ઉത്സવમાં જોડાવા માટે સોમનાથ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા છે.

અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જૂનાગઢ