સોમનાથ બાયપાસ ઉપર ઉપરવાસના વરસાદી પાણી ફરી વળતા ટ્રાફીક ખોરવાતા પોલીસ દોડી જઈ પુનઃવ્રત કરાવ્યો.

સોમનાથ

ગઈકાલથી વેરાવળ શહેર પંથકમાં પડેલ રહેલ અવિરત વરસાદના પગલે આજે સવારે સોમનાથ બાયપાસ હાઈવે ઉપર રેજન્ટા હોટલ અને આસોપાલવ પાસે ઉપરવાસમાંથી આવતા વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે હાઇવે ઉપર એક તરફની લેન બંધ થઈ ગયેલ જેની જાણ થતાં પીઆઇ એમ.વી.પટેલ પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી જઈને હાઇવે પર ડિવાઇડરની આડસો જેસીબીની મદદથી દુર કરાવીને પાણીનો નિકાલ કરાવતા થોડા સમયમાં પાણી ઉતરવા લાગતા ટ્રાફીક ફરી પુનઃ ચાલુ કરાવ્યો હતો. જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ હાઈવેની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ આપી હતી

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)