વેરાવળ, 3 જૂન 2025
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાતા સોમનાથ મંદિર પર ડ્રોન હુમલો થયાનો સંદેશ મળતાં તાત્કાલિક પ્રતિસાદની મોકડ્રીલ (Mock Drill) યોજાઈ હતી.
આ અભ્યાસમાં ફાયર વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. મંદિરે ઉપસ્થિત યાત્રાળુઓ અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી, અને ઇજાગ્રસ્તો સુધી તાત્કાલિક તબીબી સેવા પહોંચાડવામાં આવી હતી.
આ સમગ્ર મોડક્રીલનું આયોજન તંત્રની તત્પરતા અને સંકલનશીલ કાર્યપદ્ધતિને વ્યક્ત કરતું હતું. તંત્ર દ્વારા આ અભ્યાસ જેમ્ને સોમનાથ જેવા સંવેદનશીલ સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના બને તો કેવી રીતે ઝડપી કામગીરી કરવી તે માટેનું આયોજન હતું.
આ પ્રકારની દરરોજની તૈયારી ભવિષ્યમાં તબીબી સહાયતા, બચાવ કામગીરી અને સુરક્ષા વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા લાવશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ