સોમનાથ-વેરાવળમાં ત્રીજા દિવસે પણ વરસાદી મહેર, મહાદેવને મેઘરાજાનો જળાભિષેક.

સોમનાથ પ્રભાસ પાટણ અને વેરાવળ વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાની અવિરત કૃપા યથાવત રહી. વહેલી સવારથી જ વરસાદી ઝાપટાં વચ્ચે સોમનાથ મહાદેવ મંદિરે મેઘરાજાએ જળાભિષેક કર્યો હતો અને સમગ્ર વિસ્તાર મેઘતરબોળ થયો હતો.

છેલ્લા ત્રણ દિવસથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને સૂર્યનારાયણના દર્શન થયા નથી. છેલ્લા બે દિવસમાં 30 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આજના સવારે 12 વાગ્યા સુધીના અંદાજે 2 ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 136 મીમી સુધી પહોંચી ગયો છે.

હવે ખેડૂતોમાં પણ આશાનો કિરણ જોયો મળી રહ્યો છે, તો રોૈમેન્ટિક વાતાવરણમાં ભક્તો અને પ્રવાસીઓ સોમનાથ ખાતે વરસાદી માહોલ માણી રહ્યા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, (વેરાવળ-સોમનાથ)