જૂનાગઢ:
સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આરાધ્ય દેવાધિદેવ મહાદેવના રુદ્રાભિષેક અને શિવપૂજનનો વિશેષ કાર્યક્રમ જૂનાગઢમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ભવનાથ ખાતે વૈશાખ વદ તેરશ રવિવારે સાંજે ૭:૩૦ કલાકે યોજાયો.
ભૂદેવ રવિભાઈ દવે મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને ડૉ. પ્રો. મનીષભાઈ જાની અને પરિવાર દ્વારા આ દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારત દ્વારા તાજેતરમાં શિવના ત્રીજા નેત્રની સફળ ઓપરેશન “સિંદૂર” બદલ આપેલા વિશ્વના પ્રમાણને ઉજવવામાં આવ્યો અને દેશભક્ત જવાનો તથા કુશળ રાજનેતાઓની દીર્ઘ આયુષ્ય અને સફળતાના માટે ભગવાન મહાદેવની પ્રાર્થના કરવામાં આવી.
વિશેષ આભારજનક પ્રસંગે જનસંઘના પીઠ આગેવાન સ્વ. હેમાબેન આચાર્ય અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી સ્વ. હશુભાઈ જોષી ના આત્મ કલ્યાણ માટે સમસ્ત જીલ્લા, મહાનગર, મહિલા અને યુવા પાંખના પ્રતિનિધિઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
સાથે જ, ટ્રસ્ટ મંડળના ઉપપ્રમુખ છેલભાઈ જોષીના જન્મદિવસ નિમિત્તે વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું.
હાલની પરિસ્થિતિમાં કોરોના વાયરસ ફરી સક્રિય થતાં, સમગ્ર દેશ અને જુનાગઢ નગરની સુખાકારી માટે મહાદેવને પ્રાર્થના કરવામાં આવી.
આ મહત્વપૂર્ણ કાર્યક્રમ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ આયોજિત હતો.
કાર્યક્રમમાં કિરણભાઈ પુરોહિત, ભરતભાઈ લખલાણી, રૂપલબેન લખલાણી, જોગેશભાઈ પુરોહિત, મેહુલભાઈ દવે, રવીભાઈ ઠાકર, જ્યોતિબેન મહેતા, હેમાંગીબેન, વિશ્વ હિંદુ પરિષદના હિરેનભાઈ રૂપારેલીયા, જયેશભાઈ ખેસવાણી, દેવલભાઈ ઓન્ધીયા તેમજ પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ અને વિસાળ સંખ્યામાં બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ