સુરત શહેરની સૌથી મોટી અને ભરોસાપાત્ર સરકારી હોસ્પિટલ સ્મીમેર ખાતે આજે વધુ એક જનકલ્યાણકારી પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ, તેમના સગાસંબંધીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ સુધી તાત્કાલિક માહિતી સરળતાથી પહોંચાડી શકાય તે હેતુથી “પબ્લિક એડ્રેસ સિસ્ટમ” ઇન્સ્ટોલ કરવાની કામગીરીનો ભવ્ય આરંભ કરવામાં આવ્યો હતો.
આ કામગીરીનું શુભારંભ સ્મીમેર હોસ્પિટલ કમિટીના ચેરપર્સન સુશ્રી મનિષાબેન આહીરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો, જયારે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંદાજે રૂ. 50 લાખના ખર્ચે hospital ના મુખ્ય વિસ્તાર તથા અગત્યના વિભાગોમાં સ્થાપિત કરવામાં આવશે. આ સિસ્ટમના માધ્યમથી ઇમર્જન્સી પરિસ્થિતિઓ, જાહેર સુચનાઓ તેમજ નિયમિત અપડેટ્સ સરળતાથી સંપૂર્ણ હોસ્પિટલ પરિસરમાં પ્રસારી શકાશે.
મનિષાબેન આહીરે જણાવ્યુ હતુ કે, “દર્દીઓ તથા તેમના પરિવારજનોએ કોઈ પણ અંધારપટમાં ન રહે તે માટે વ્યવસ્થિત માહિતી આપવી જરૂરી છે. આ નવા પગલાથી હોસ્પિટલમાં પારદર્શિતા અને નિયમિતતા વધુ મજબૂત બનશે.”
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે પણ ખાતરી આપી કે, આ તકલીફરહિત માહિતી વ્યવસ્થા ખાસ કરીને ઇમર્જન્સી વિભાગમાં વધુ ઉપયોગી સાબિત થશે અને લોકોને તત્કાળ માર્ગદર્શન મળશે.
આ નવા આયોજનથી હોસ્પિટલનું કામગીરી પરિચલન વધુ વ્યવસ્થિત અને પ્રશાસનિક દૃષ્ટિએ સુનિયોજિત બની રહેશે.