સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્ર, તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે 15 જુલાઈ થી નેચરોપથી સલાહ કેન્દ્ર શરૂ.

જૂનાગઢ તા.૧૫/૭. સ્વામિ વિવેકાનંદ સેવા કેન્દ્ર, રામકૃષ્ણ પરમહંસ માર્ગ,તળાવ દરવાજા, જૂનાગઢ ખાતે 15 જુલાઈ થી નેચરોપથી સલાહ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.

નેચરોપેથશ્રી મુકેશભાઈ ધોળકિયા, નિવૃત્ત, ડેપ્યુટી જનરલ મેનેજર ,સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ સલાહ કેન્દ્ર માં સેવા આપશે, આ સેવા નો સમય રવિવાર અને જાહેર રજા સિવાયના દિવસોમાં દરરોજ સાંજે 5.00 થી 7.00 નો રહેશે. અને આ સેવા નિઃશુલ્ક છે એમ સંસ્થા નાં પ્રમુખ શ્રી પરેશ અંતાણી,નિવૃત્ત, અધિક કલેકટર એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)