હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાગરિકોને તિરંગા વિતરણ કરવામાં આવ્યા.

જૂનાગઢ

૭૮માં સ્વતંત્ર પર્વ નિમિતે આજ તા. 08/08/2024 ના રોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાગરિકોને તિરંગા વિતરણ કરવામાં આવેલ અને પોતાના ઘરે તિરંગો લગાવવા અપીલ કરવામાં આવેલ. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જુનાગઢ શહેર અને જિલ્લા વિસ્તારમાં કુલ મળીને 2000 જેટલા રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવેલ છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)