૨૪-કડી અને ૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૫ માટે ઉમેદવારોની યાદી જાહેર, ઉમેદવારી ચકાસણી અને પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે હરીફ ઉમેદવારોની નિમણૂંક

જૂનાગઢ:

રાજ્યના ૨૪-કડી (અ.જા.) અને ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૩ જૂન ૨૦૨૫ ના રોજ પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૫ જૂન ૨૦૨૫ રહી. આ અંતિમ દિવસે સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા હરીફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

૨૪-કડી (અ.જા.) માટે ઉમેદવારોમાં સામેલ છે:

  • ચાવડા જગદીશભાઈ ગણપતભાઈ (આમ આદમી પાર્ટી)
  • રમેશભાઈ મગનભાઈ ચાવડા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
  • રાજેન્દ્રકુમાર (રાજુભાઈ) દાનેશ્વર ચાવડા (ભારતીય જનતા પાર્ટી)
  • ડૉ. ગિરીશભાઈ જેઠાભાઈ કાપડિયા (પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી)
  • જયેન્‍દ્ર કરશનભાઈ રાઠોડ (રાઈટ ટુ રીકોલ પાર્ટી)
  • પ્રવિણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (ભારતીય જન પરિષદ)
  • મકવાણા કમલેશભાઈ (સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી)
  • મકવાણા દશરથભાઈ ગણપતભાઈ (આપકી આવાઝ પાર્ટી)

૮૭-વિસાવદર માટે હરીફ ઉમેદવાર:

  • ઈટાલીયા ગોપાલ (આમ આદમી પાર્ટી)
  • કિરીટ પટેલ (ભારતીય જનતા પાર્ટી)
  • નીતિન રાણપરીયા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)
  • કિશોરભાઈ કાનકડ (પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી)
    અને અન્ય અનેક અપક્ષ ઉમેદવારો પણ હાજર છે.

ભારતના ચૂંટણી પંચની સૂચના પ્રમાણે, તમામ ઉમેદવારોને પોતાના ઉમેદવારીપત્ર સાથે સોગંદનામું (એફિડેવિટ ફોર્મ-૨૬) પણ રજૂ કરવું જરૂરી છે. આ સોગંદનામા ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates પર અપલોડ કરવામાં આવશે, જ્યાં જનતા તે જોઈ શકે છે.

આયોજિત પેટા ચૂંટણી સાથે રાજ્યના રાજકારણમાં ગરમી વધે તેવી અપેક્ષા છે, જેમાં વિવિધ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સઘન પ્રતિસ્પર્ધા જોવાઈ રહી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ