જુનાગઢ, ૨ જુન ૨૦૨૫ –
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ગુજરાત રાજ્યની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ૨૬ મે ૨૦૨૫ ના રોજ શરૂ થઇ હતી અને આજે ૨ જૂન ૨૦૨૫ ના રોજ સમાપ્ત થઇ ગઇ છે.
આ ચૂંટણીમાં કુલ ૩૧ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે જેમાં વિવિધ રાજકીય પક્ષો ઉપરાંત ઘણા અપક્ષ ઉમેદવાર પણ શામેલ છે.
મુખ્ય ઉમેદવારોમાં શામેલ છે:
- ૨૪-કડી (અ.જા.) માટે: ચાવડા જગદીશભાઈ (આમ આદમી પાર્ટી), રમેશભાઈ અને સુહાગ ચાવડા (કોંગ્રેસ), રાજેન્દ્રકુમાર અને પિયુષ સોલંકી (ભાજપ) સહિત અન્ય.
- ૮૭-વિસાવદર માટે: દલસુખભાઈ હીરપરા (અપક્ષ), ગોપાલભાઈ ઈટાલીયા અને હરેશભાઈ સાવલીયા (આમ આદમી પાર્ટી), કિરીટ પટેલ અને રમણિકભાઈ દુધાત (ભાજપ), તેમજ અન્ય અપક્ષ અને પક્ષના ઉમેદવાર.
ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો સાથે સોગંદનામું (એફિડેવિટ – ફોર્મ-૨૬) પણ રજૂ કરવું ફરજિયાત છે, જે ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates પર અપલોડ કરવામાં આવશે અને જાહેર થાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ