૮૭-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે છોડવડી ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અને સીગ્નેચર કેમ્પેઈન યોજાયો

જૂનાગઢ: ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ યોજાનાર છે. વધુમાં વધુ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કાર્યરત છે.

ભેંસાણ તાલુકાના છોડવડી ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ સીગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પેઈનમાં ગામના તમામ મતદારોને ચૂંટણીમાં ભાગ લેવાની મહત્વની શપથ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મતદારોને શપથ પત્ર આપવામાં આવ્યાં હતા અને એડવાઇઝર પણ આપ્યા ગયા કે તેઓ અવશ્ય મતદાન કરે.

આ કાર્યક્રમથી ચૂંટણીમાં જાગૃતિ અને જાગ્રત મતદાન લાવી શકાય એ માટે કામ કરવામાં આવ્યું છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ