૮૭- વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં જાહેર અને ખાનગી મિલકતો પરથી ૮૨૨ પ્રચારાત્મક સામગ્રી દૂર

જૂનાગઢ, તા. ૨૭ મે –
૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી જાહેર થવાના સાથે જ આદર્શ આચાર સંહિતાની સખત અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં જાહેર અને ખાનગી મિલકતો પરના ૮૨૨ જેટલા પ્રચારાત્મક સામગ્રીને દૂર કરવામાં આવ્યા છે.

ચૂંટણી તંત્ર દ્વારા જાહેર મિલકતો ઉપર દીવાલો પર ૨૦૧ જેટલી પ્રચારાત્મક સામગ્રી ઉપર પીંછડો ફેરવાયો છે. ઉપરાંત ૨૭૯ પોસ્ટર્સ, ૮ બેનર્સ અને અન્ય ૩૩ પ્રચાર સામગ્રીને પણ દૂર કરવામાં આવી છે.

ખાનગી મિલકતોમાં પણ દીવાલો પર ૧૪૩ સ્થળોએ લટકતી પ્રચાર સામગ્રીને હટાવવામાં આવ્યું છે. સાથે ૧૨૭ પોસ્ટર્સ, ૮ બેનર્સ અને ૨૩ જેટલી અન્ય પ્રચાર સામગ્રીને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.

આ દરખાસ્ત વિસાવદર ગ્રામ્ય, વિસાવદર નગરપાલિકા, ભેસાણ ગ્રામ્ય, જૂનાગઢ રૂરલ અને કડાયા (બગસરા) ગ્રામ્ય વિસ્તારોમાંથી કરી છે, જ્યાં આદર્શ આચાર સંહિતાના પાલન માટે પગલાં લેવામાં આવ્યા છે.

આ કડક કાર્યવાહી દ્વારા ચૂંટણી પ્રક્રિયાને સ્વચ્છ અને ન્યાયી બનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ