૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તાર પેટા ચૂંટણી-૨૦૨૫ : જૂનાગઢ જિલ્લામાં ધાર્મિક સ્થળો અને કાર્યક્રમોમાં ચૂંટણીલક્ષી પ્રવૃત્તિ પર પ્રતિબંધ

જુનાગઢ: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં ગુજરાત રાજ્ય અને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

જુનાગઢ જિલ્લાની અધિકારીય તંત્ર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, જિલ્લા વહીવટી અધિકારીઓની સુપરવિઝન હેઠળ આ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા અને અન્ય પ્રાર્થના સ્થળોનું ચૂંટણી માટે પ્રચાર-પ્રસાર માટે ઉપયોગ કરવો કડક રીતે પ્રતિબંધિત રહેશે.

ધાર્મિક સંસ્થાઓ (દૂર ઉપયોગ નિવારણ) અધિનિયમ-૧૯૮૮ હેઠળ આ પ્રકારની સંસ્થાઓના ફંડ અથવા જગ્યાનો ચૂંટણી માટે ઉપયોગ કરવામાં ન આવે તે બાબતનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

સાથે જ, કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત બેનર લગાવવું, ચોપાનીયા વહેંચવી, રાજકીય પ્રવચન કરવાં, સભ્ય નોંધણી કરવી અથવા સ્ટોલ ગોઠવવાની મનાઈ રહેશે.

આ નિયમોનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિ કે તેની સહાય કરનારને ભારતીય દંડ સંહિતા કલમ ૨૨૩ હેઠળ સજા પામવાની શક્યતા રહેશે.

આ હુકમ ૮૭-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાના દિવસ સુધી અમલમાં રહેશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ