🇮🇳 વિકસિત ભારતનો અમૃતકાલ: પ્રાચી ખાતે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષની સિદ્ધિઓ અંગે મીટિંગ યોજાઈ

પ્રાચી, તા. ૨૦ જૂન:
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવાના ઉમંગમય અવસરે આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજની વાડીમાં વિશાળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અમરેલી યુવા ભાજપના મહામંત્રી જગદીશભાઈ નાકરાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા, ભાજપના જિલ્લા મંત્રી રમેશભાઈ કેશવાલા, ભાજપના ભૂતપૂર્વ મહામંત્રી વજુભાઈ વાજા, જિલ્લા ઉપપ્રમુખ બહાદુરસિંહ ગોહિલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ, તાલુકા પ્રમુખ મસરીભાઈ રાઠોડ અને મહામંત્રી વિજયભાઈ સોલંકી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મહામંત્રી, સરપંચ, શક્તિ કેન્દ્રના સંયોજકો, મહિલા આગેવાનો તથા પ્રેસ પ્રતિનિધિઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મુલાકાતમાં આગેવાનો દ્વારા પીએમ મોદીના શાસનના 11 વર્ષ દરમ્યાન દેશના વિકાસમાં થયેલા પરિવર્તનશીલ કાર્યો, ખાસ કરીને ગ્રામ વિકાસ, મહિલા શક્તિકરણ, કૃષિ ક્ષેત્રે સુધારા, ગરીબ કલ્યાણ યોજના, houses for all, પાઈપવોટર, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા કામો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.

મુલાકાતનો હેતુ મોદીના વિકાસ મોડલની પહોંચ ગામડાઓ સુધી પહોંચાડવાનો હતો અને આગામી લોકશાહી યાત્રાઓ માટે જનસમર્થન મજબૂત કરવો હતો.

📍અહેવાલ: દિપક જોશી, પ્રાચી